Gyan Sahayak Recruitment 2024: જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) શાળાઓમાં ખાલી પડેલ જગ્યાઓ માટે ૧૧ માસના કરાર આધારિત શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૫/૦૮/૨૦૨૪ (૨૩:૫૯ કલાક) સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Eligibility Criteria for Gyan Sahayak Recruitment 2024
શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક લાયકાત:
- સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ-૨૦૨૩માં વિવિધ વિષયો/માધ્યમની ટ્વિસ્તરીય TAT (માધ્યમિક) અને TAT (ઉચ્ચતર માધ્યમિક) પરીક્ષા લેવામાં આવેલ છે. તે પૈકી જે ઉમેદવારે જે માધ્યમ અને વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે. તેમજ તે જ વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઇશે. (પોર્ટલ પર વિષય મુજબ લાયકાતની યાદી ઉપલબ્ધ કરેલ છે.)
- શિક્ષણ વિભાગના તા.૧૦/૦૭/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક: બમશ-૧૦૧૪-૧૪૦-ગ (પા.ફા.) અનુસાર જ્ઞાન સહાયક માધ્યમિક માટે પસંદગી યાદી ઉમેદવારના દ્વિસ્તરીય શિક્ષક અભિરૂચિ કસોટી માધ્યમિક (TAT-S) 2023 માં મેળવેલ ગુણના આધારે તેમજ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે પસંદગી યાદી ઉમેદવારના દ્વિસ્તરીય શિક્ષક અભિરૂચિ કસોટી માધ્યમિક (TAT-HS) 2023 માં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
- ઉમેદવાર સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે કરાર આધારિત નિમણૂક માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત ધરાવતો હોવો જોઇએ. (પોર્ટલ પર વિષય મુજબ લાયકાતની યાદી ઉપલબ્ધ કરેલ છે.)
- ઉમેદવારોએ જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમની ખાલી જગ્યાઓની યાદીમાંથી શાળાની પસંણી કરી અને અગ્રીમતાક્રમ આપવાનો રહેશે.
- ઉમેદવારોએ જે વિષય અને માધ્યમની શાળાની પસંદણી કરી અને અગ્રીમતાક્રમ આપેલ હશે તે મુજબ Merit cum Preference ના ધોરણે શાળા ફાળવણી કરવામાં આવશે.
- ઉમેદવારોને Merit cum Preference ના ધોરણે શાળા કાળવણી અંગેની જાણ એસ.એમ.એસ. થી કરવામાં આવશે.
- સમગ્ર શિક્ષા દ્વારા કામચલાઉ મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. આ યાદીમાં જે ઉમેદવારોનો સમાવેશ થશે તેઓને તે અંગેની જાણ એસ.એમ.એસ. થી કરવામાં આવશે. મેરીટ યાદીમાં સમાવેશ થયેલ ઉમેળ્વાર માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશન અંગેની સુચના વેબસાઇટ પર મુકવામાં આવશે. નિશ્ચિત કરવામાં આવેલ સમયગાળામાં ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરીફીકેશન ફરજીયાત કરાવવાનું રહેશે. (ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે અરજી સાથે જોડવાના આધારોની સૂચિત યાદી જ્ઞાન સહાયક ભરતી માટેની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.) ડોક્યુમેન્ટ વેરીફીકેશન ન કરાવનાર ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે અને મેરીટ યાદીમાંથી તેવા ઉમેદવારનું નામ કમી કરવામાં આવશે.
- જિલ્લાના ડોક્યુમેન્ટ વેરીફીકેશન સેન્ટરની યાદી વેબસાઇટ પર મુકેલ છે.
વય મર્યાદા
- ઉમેદવારની મહત્તમ વય મર્યાદા (અરજીની તારીખે) નીચે મુજબની વય મર્યાદા નક્કિ કરેલ છે.
જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક (કરાર આધારિત) માટે | ૪૨ વર્ષ |
જ્ઞાન સહાયક માધ્યમિક (કરાર આધારિત) માટે | ૪૦ વર્ષ |
Important Dates for Gyan Sahayak Recruitment 2024
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. | ૨૭/૦૭/૨૦૨૪ શનિવારના રોજ (બપોરે ૨:૦૦ કલાક) |
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા. | ૦૫/૦૮/૨૦૨૪ સોમવારના રોજ (૨૩:૫૯ કલાક સુધી) |
Pay Scale for Gyan Sahayak Recruitment 2024
ખાલી જગ્યા માટે પસંદગી પામેલ ઉમેદવારોને નીચે મુજબ પગાર ધોરણ મળવાપાત્ર થશે.
જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક (કરાર આધારિત) માટે | રૂ. ૨૬,૦૦૦/- |
જ્ઞાન સહાયક માધ્યમિક (કરાર આધારિત) માટે | રૂ. ૨૪,૦૦૦/- |
Contractual Period for Gyan Sahayak Recruitment 2024
કરારનો સમયગાળો
જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની કામગીરીનો કરાર ૧૧ માસ સુધીનો રહેશે. ૧૧ માસનો કરારનો સમય પૂર્ણ થતાં કરાર આપોઆપ રદ થયેલ ગણાશે.
Important Instruction for Gyan Sahayak Recruitment 2024
અરજીપત્રક ઓનલાઇન ભરવા બાબતની અગત્યની સચનાઓઃ
- અરજી પત્રક ભરતાં પહેલાં વેબસાઇટ ઉપર મુકવામાં આવેલી જાહેરાત માટેની સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે.
- લાયકાત ધરાવતા ઉમેદવારો સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (કરાર આધારિત) ભરતી માટે તા.૨૭/૦૭/૨૦૨૪ શનિવારના રોજ બપોરના ૨.૦૦ કલાક થી ૦૫/૦૮/૨૦૨૪ સોમવારના ૨૩:૫૯ કલાક સુધી માધ્યમિક માટે https://bit.ly/SEC_GYANSAHAYAK અને ઉચ્ચતર માધ્યમિક માટે https://bitly/is_GYANSAHAYAK વેબસાઈટ પર જઈ નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઇન અરજી કરવામાં ઉમેદવાર પોતે ભુલ કરશે તો તેવી અરજી ઉપર કોઇ વિચારણા કરવામાં આવશે નહીં જેથી સંપર્ણ કાળજીપૂર્વક ઓનલાઇન અરજી કરનારની રહેશે.
- માત્ર અને માત્ર ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે. ટપાલ કે કુરીયર મારફતે અરજી કોર્મ સ્વીકારવામાં આવશે નહીં અને રદ થયેલા ગણાશે. આ કચેરીને પણ અરજીપત્રકો મોકલવા નહીં.
- ઉમેદવારે અરજીપત્રકમાં પોતાનો મોબાઇલ નંબર અવશ્ય આપવાનો રહેરો આ નંબર પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી શરૂ રાખવો. જેથી જરૂરીયાતના સંજોગોમાં સંપર્ક કરી શકાય.
- ઓનલાઇન અરજી કર્યા પછી કરેલ અરજીની ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને સાચવણી કરી, જરૂર પડેથી રજુ કરવાની રહેશે.
- આ જાહેરાતનાં હેતુ હાલ માત્ર પસંદગી યાદી તેમજ પ્રતિક્ષાયાદી તૈયાર કરવાનો છે. જેથી આ ફોર્મ ભર્યેથી નોકરી મળી જ જશે તેવુ માનવું નહીં.
- નિયત સમયમર્યાદામાં ગુણપત્રકો/પ્રમાણપત્રોની ચકાસણી અર્થે હાજર ન રહેનાર ઉમેદવારનું નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવશે. આ અંગે ઉમેદવાર કોઇપણ પ્રકારનો હક્ક દાવો કરી શકશે નહીં અને આ અંગે કોઈપણ પત્રવ્યવહાર ધ્યાને લેવામાં આવશે નહીં.
- સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (કરાર આધારિત) ભરતી સંબંધે તમામ સુચનાઓ/વિગતો વખોવખત ઘેબસાઈટ પરથી જોવા મળી શક્શે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મુકેલ કોઇપણ સુચના વિગતથી અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઇપણ તબક્કે સામેલ ન થઇ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે. આ અંગે કોઇ લેખિત કે મૌખિક રજુઆત । ધ્યાને લેવામાં આવશે નહીં.
Apply Online Application for Gyan Sahayak Recruitment 2024
જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક (કરાર આધારિત) માટે | અહિં ક્લિક કરો |
જ્ઞાન સહાયક માધ્યમિક (કરાર આધારિત) માટે | અહિં ક્લિક કરો |